હિન્દૂ ધર્મ બધા દેવી-દેવતાઓની પૂજા માટે વિશેષ દિવસ બતાવ્યો છે. મંગળવારનો દિવસ હનુમાનદાદાનો દિવસ કહેવાય છે. આ દિવસે બજરંગબલીની પૂજા-પાઢ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહિ, અગર તમે હનુમાનજીના અમુક ઉપાય કરો છો તો તમને જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાથી છુટકારો મળી શકે છે. જીવનમાં સમસ્યા આવા પાછળ ઘણા બધા કારણો હોય છે, એમાં તમારી કુંડળીમાં રહેલા ગ્રહ દોષ પણ સમસ્યા લાવાનું કારણ બની શકે છે.
અગર તમારી કુંડળીમાં મંગલ દોષ હોય તો અમુક ખાસ ઉપાયો હોય છે જે મંગળવારના દિવસે કરવાથી તમારી કુંડળીમાંથી મંગલ દોષ દૂર થઈ જાય છે. આ ઉપાયો તમારી કુંડળીમાં મંગલ ગ્રહને બળવાન કરે છે. કુંડળીમાં કોઈ દોષ હોય કે પછી જીવનમાં કોઈ કષ્ટ હોય, આજે તમારી બધી સમસ્યાનો ઉપાય મળી જશે. અગર તમે આ ઉપાયોમાંથી કોઈ એક ઉપાય કરો છો તો તમારા જીવનમાં આવતી સમસ્યાથી છુટકારો મળી જશે.

પહેલો ઉપાય
અગર તમારી પરેશાનીનો સંબંધ તમારા શત્રુથી છે તો તમારે આ ઉપાય કરવો જોઈએ. મંગળવારના દિવસે સ્નાન કર્યા પછી બજરંગબાણનો પાઢ કરો. આવું કરવાથી તમારા બધા શત્રુનો નાશ થશે અને તેની બધી ચાલ બેકાર થઈ જશે. યાદ રાખજો કે આ પાઢ એક જ જગ્યા પર બેસીને 21 દિવસ સુધી કરવાનો છે. આ સમય દરમિયાન તમારે સાચા રસ્તે ચાલવાનો સંકલ્પ પણ કરવો પડશે.
બીજો ઉપાય
ઘણી વાર શનિ ગ્રહના અશુભ પ્રભાવથી પણ તમારા જીવનમાં સમસ્યા આવતી હોય છે. આવી પરિસ્થિતિમાં તમારે દર મંગલવારના દિવસે હનુમાન મંદિર જાવું જોઈએ. મંદિરએ જઈને પાઢ-પૂજા કરવી જોઈએ અને આની ઉપરાંત મંગળવારના દિવસે સુંદરકાંડ પણ કરાવી શકો છો. હનુમાન ચાલીસના પાઢ કરવાથી પણ લાભ થાય છે. શનિદેવ હનુમાન ભક્તને પસંદ કરે છે અને તેને હેરાન નથી કરતા. શનિ ગ્રહથી જોડાયેલી સમસ્યાથી છુટકારો મેળવામાં હનુમાનજીની ઉપાશના કરવી જોઈએ.
ત્રીજો ઉપાય
અગર તમારી સમસ્યા કોઈ બીમારી છે તો આ ઉપાય કરો. મંગળવારના દિવસે હનુમાનજી પ્રતિમાની સામે એક પાત્રમાં જળ ભરીને મુકો અને હનુમાન બાહુકનો 26 અથવા 21 દિવસ સુધી પાઢ કરો. આ જળ તમારે રોજ ગ્રહણ કરવાનું છે. આ જળને પીવાથી તમારા શરીરમાં રહેલી બધી બીમારીઓથી છુટકારો મળશે.
ચોથા ઉપાય
અગર તમે તમારા ઘરમાં સુખ શાંતિની ચાહત રાખો છો તો આ ઉપાય કરો. દર મંગળવાર અથવા શનિવારના દિવસે હનુમાન મંદિરમાં દર્શન કરવા જાવું જોઈએ અને હનુમાનજીને ગોળ અને ચનાનો પ્રશાદ ચડાવો. આ ઉપાય 21 દિવસ સુધી કરો અને 21 દિવસ પૂરા થવા પછી હનુમાનજીને છોલા ચડાવો. આ ઉપાય કરવાથી સુખ-શાંતિ તમારા કદમ ચૂમશે.
પાંચમો ઉપાય
અગર તમારા ઘરમાં ભૂત-પ્રેત અથવા કાલી શક્તિનો શાયો છે તો તમારે આ ઉપાય કરવો જોઈએ. મંગળવારના દિવસે હનુમાન મંદિર જઈને ‘ૐ હનુમંતે નમઃ’ આ મંત્રનો 108 વાર જાપ કરો.