શું તમારે તમારા શરીરનું વજન ઉતારવા માટે ખુબ મેહનત કરવી પડે છે? તો આ લેખ આખો ધ્યાનથી વાંચો જેથી તમે તમારા શરીરનો વજન ઓછી મેહનત કરીને પણ આસાનીથી ઉતારી શકો, તો ચાલો જોઈએ કઈ રીતે.
જે વ્યક્તિને વજન ઉતારવું હોય ત્યાંથી લઈને ડાયબીટીએસથી પીડિત વ્યક્તિ સુધી બધા લોકોને આ લોટનો રોટલો ખાવાથી ફાયદાકારક સાબિત થાય છે. ડાયટિશ્યન ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર, જુવારમાં ઘણા પોષ્ટીક તત્વો રહેલા હોય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.જુવારમાં સારી માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે. તે પેટની સમસ્યાઓથી પણ બચાવે છે.
જો તમારા શરીરનું વજન ખુબ વધારે વધી ગયું હોય અને તમે તમારા શરીરનું વજન ઓછું કરવા ઇચ્છતા હોય અથવા તમે સ્વસ્થ રહેવા ઇચ્છતા હોય, તો તમારે તમારા આહારમાં જુવાર જરૂરથી ઉમેરવી જોઈએ. જુવાર મેંદો અને ઘઉંના લોટનો ઉત્તમ વિકલ્પ છે. જુવારમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, તે આપણા શરીરની પાચનક્રિયાને સારી કરવામાં મદદરૂપ થાય છે.
જેમ કે આપણે ખબર છે કે જુવારમા મિનરલ્સ, વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય, જુવારમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્ન વગેરેના ઘણા બધા તત્વો પણ વિપુલ પ્રમાણમાં રહેલ છે. જુવાર ઓછી કેલેરીમાં વધારે પ્રોટીન આપે છે. ડો. રંજના સિંહના જણાવ્યા અનુસાર આયર્ન અને કોપરથી જુવાર શરીરમાં થતા રક્ત પરિભ્રમણને પ્રોત્સહન આપે છે.
વજન ઘટાડવામાં મદદદરૂપ થાય છે
ડાયટિશ્યન ડો. રંજના સિંહ કહે છે કે જુવારમાં ફાઈબર અને ઉચ્ચ ગુણવંતવાળું પ્રોટીન ભરપૂર માત્રા હોય છે, જેના કારણે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે જે તમને વજન ઓછું કરવામાં મદદદરૂપ થાય છે. જુવારની એક સ્કુપમાં 12 ગ્રામ ફાઈબર અને 22 ગ્રામ પ્રોટીન છે. ઘઉં અથવા મેંદાના બદલે જુવારનો લોટનો રોટલો ખાવો જોઈએ.
ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક
ડાયટિશ્યન ડો. રંજન સિંહના કેહવા અનુસાર ડાયાબિટીસના દર્દીને પણ જુવારના લોટનો રોટલો ખાવાથી ફાયદો થાય છે. જુવારના લોટનો રોટલો ખાવથી આપણા શરીરમાં રહેલ ઇન્સ્યુલિન અને ગ્લુકોઝના સ્તરને જાળવી રાખે છે. આ સિવાય ટેનિન નામનું તત્વ જુવારમાં હાજર છે, જે શરીરમાં હાજર સ્ટાર્ચને શોષી લેનારા ઉત્સેચકોના ઉત્પાદનને નિયંત્રિત કરે છે, જેથી કરીને ડાયાબિટીસના દર્દીને ફાયદો થાય છે.