દિવાળી પર જો આ સંકેત દેખાય તો સમજી લો કે ઘરમાં માતા લક્ષ્મીજીએ કરશે પ્રવેશ

દિવાળીના દિવસે માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, બધા આ દિવસે માતાને પ્રસન્ન કરવા માટે વિધિ વિધાન પૂર્વક પૂજા અર્ચના કરે છે, બધાની એવીજ ઈચ્છા હોય છે કે માતા લક્ષ્મીજી એમની પૂજાથી પ્રસન્ન થઈને એમના ઘરમાં પ્રવેશ કરે, લોકો દિવાળીના દિવસે ઘરની સાફ સફાઈ , સજાવટ વગેરે કરે છે અને માતા લક્ષ્મીજીની પૂજા અર્ચના માટે તૈયારીઓ કરે છે. એવું કહેવાય છે કે ધનની દેવી માતા લક્ષ્મીજી જે વ્યક્તિની ભક્તિથી સૌથી વધારે પ્રસન્ન થાય છે, એ વ્યક્તિને દર્શન જરૂર આપે છે.

આજે અમે તમને આ પોસ્ટ દ્વારા કેટલાક એવા સંકેતો વિષે જણાવવા જઈ રહ્યા છે, જો એ સંકેત તમને દિવાળી પર દેખાય તો તમે સમજી લો કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરશે.

દિવાળી પર મળતા શુભ સંકેત



જેવું કે તમે સૌ જાણો છો કે માતા લક્ષ્મીજી ઘુવડ પર સવાર રહે છે, ઘુવડ માતા લક્ષ્મીજીનું વાહન માનવામાં આવે છે, એવું જણાવાય છે કે જો ક્યાંય પણ માતા લક્ષ્મીજી જાય છે તો એ સમય દરમિયાન ઘુવડ પર સવાર રહે છે, જો તમને દિવાળીના દિવસે ઘુવડ દેખાય છે તો એ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે, એનો અર્થ છે કે તમારા જીવનમાં કાંઇક શુભ થવાનું છે.

કરોળિયાના જાડાને અશુભ શ્રેણીમાં રાખવામાં આવે છે, પણ જો તમે દિવાળીના દિવસે કરોળિયાના જાડામાં તમારું નામ બનતા જોવો છો તો એ શુભ સંકેત તરફ સંકેત કરે છે.

જો તમે દિવાળીની રાતે તમારા ઘરની દીવાલ પર ગરોળી ભાગતી જોવો છો તો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને પોતાના ઘરમાં દિવાળીના દિવસે છછુંદર દેખાય તો એ શુભ સંકેત માનવામાં આવે છે.

જો કોઈ બિલાડી દિવાળીની રાતે તમારા ઘરની છત પર મળ ત્યાગ કરીને ચાલી જાય છે તો એ શુભ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીજી સ્થાયી રીતે રહેશે.

ઘણીવાર જોવા મળે છે કે જો કોઈ વ્યક્તિ સાપ જોઈ લે છે તો એ ઘણો ડરી જાય છે અને એ સાપને મારવાના પ્રયત્ન કરે છે. પણ જો તમે દિવાળીના દિવસે બે મોં વાળો સાપ જોવો છો તો તમે ડરો નહી અને સાપને નુકસાન ના પહોંચાડો કારણકે એ દિવસે બે મોં વાળો સાપ દેખાય તો એ શુભ સંકેત આપે છે. એનો અર્થ થાય છે કે તમારા ધનમાં વધારો થશે, એ સિવાય સાપની કાચળી મળવી પણ ધનની વૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિને દિવાળીના દિવસે બિલાડીની નાળ મળે છે તો તો અતિ ઉત્તમ માનવામાં આવે છે. એનો અર્થ થાય છે કે તમારે જીવનમાં ધન સાથે જોડાયેલ સમસ્યાઓનો સામનો નહિ કરવો પડે.

જો તમને અચાનક જ દિવાળીના દિવસે બધી જગ્યાએથી ધનની પ્રાપ્તિ થવા લાગે તો એનો અર્થ થાય છે કે માતા લક્ષ્મીજી તમારી પર પ્રસન્ન છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો પ્રવેશ થવાનો છે.