આજે અમે તમારા માટે લઈને આવ્યા છે જામફળના ફાયદા. જામફળ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામીન સી, લાઈકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ વધારે માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્યને ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. જામફળનું સેવન ઠંડીમાં ખૂબજ ફાયદેમંદ હોય છે કારણકે એ શરીરમાં ખૂનની કમીને પૂરી કરે છે.
જામફળના પોષક તત્વ
જામફળ વિટામીન એ અને ઈ મળી આવે છે, જે આંખો ,વાળ અને ત્વચાને પોષણ આપે છે. એ સિવાય એમાં લાઈકોપીન નામનું ફાઈટો ન્યુટ્રીએન્ટસ શરીરને કેન્સર અને ટ્યુમરના જોખમથી બચાવે છે. સાથેજ જામ્ફ્દમાં બીટા કેરોટીન હોય છે, જે શરીરને ત્વચા સંબંધી બીમારીઓથી બચાવે છે.
જામફળના જોરદાર ફાયદા
- જામફળમાં મળતું વિટામીન એ અને ઈ આંખો, વાળ અને ત્વચાને પોષણ આપે છે.
- જામફળ રોગ પ્રતિકારક ક્ષમતાને વધારશે, સાથે જ તમને એનર્જી પણ આપશે.
- જામફળમાં એન્ટીઓક્સીડેન્ટસ , વિટામીન અને ઘણા પોષક તત્વ હોય છે જે હ્રદયના સ્વાસ્થ્યને દુરસ્ત રાખવામાં મદદ કરે છે.
- જામફળમાં બીજા ફળની સરખામણીમાં સૌથી વધારે ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવે છે.
- જામફળમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્કિનને સ્વસ્થ રાખવામાં મદદગાર થઇ શકે છે.
- જામફળમાં રહેલ ફાઈબર કમ ગ્લાઈસેમિક ઇન્ડેક્સના લીધે ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
જામફળ કેટલી માત્રામાં ખાવું જોઈએ?
તમે એક દિવસમાં એક જામફળ ખાઈ શકો છો.
જામફળ ક્યારે ખાવું જોઈએ?
દેશના મશહૂર આયુર્વેદ ડોક્ટર અબરાર મુલ્તાની કહે છે કે તમે તમારા શરીરને એનર્જી આપવા માટે ભોજનની વચ્ચે, કે કસરત પહેલા કે પછી જામફળનું સેવન કરો.
આ વાતનું રાખો ખાસ ધ્યાન
સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે રાતે જામફળનું સેવન ના કરવું જોઈએ, કારણકે એનાથી શરદી અને ખાંસી થઇ શકે છે.